Ayurvedic Important Tips: પાચન સંબંધી સમસ્યાઓ આજકાલ સામાન્ય બની ગયા છે. તેના કારણો વિશે વાત કરીએ તો, તે મુખ્યત્વે આપણી લાઈફ સ્ટાઈલ પર આધારિત સમસ્યા ઊભી કરીએ છીયે. સમયસર ન જમવું, ખાવા પછી તરત જ નિંદર ન આવવી,કસરત ન કરવી, પેટ ભરેલું હોય ત્યારે પણ જમવું, મોડી રાત્રે ખાવું એવી કેટલીક ઘણી ખરાબ આદતો છે જે પાચનતંત્ર પણ ખરાબ બનાવે છે. મેટાબોલિઝમ નબળું હોય ત્યારે પણ પાચન પ્રક્રિયા થતી નથી. જેના કારણે કબજિયાતની problem અને ગેસ સંબંધિત problemઓનો સામનો કરવો પડે છે.
જાણો કેટલાક અગત્યના આયુર્વેદીક ઉપચાર
Ayurvedic Important Tips: ખરાબ પેટ માટે અગત્યની 9 જેટલી આયુર્વેદીક ઉપચાર. જમવાને લગતા કેટલીક અગત્યની ટિપ્સ છે જે તમારી પાચન શક્તિને સારી રીતે રાખી શકે છે. તમને કેટલીક આયુર્વેદિક ટિપ્સ વિશે જણાવી છીએ, જેને ફોલોઅપ કરવાથી તમારું પાચનની ક્રિયા સારી રહી શકે છે અને ઘણા રોગોથી બચી શકીએ છીએ.ખરાબ પેટ માટે અગત્યની આયુર્વેદીક ઉપચાર.
ભૂખ લાગે ત્યારે જ ખોરાક લેવો જોઈએ
જ્યારે તમે પહેલાથી જ ખાધેલું સંપૂર્ણ રીતે પચી જાય અને તે પછી તમને ભૂખ લાગે ત્યારે જ તમારે ફરીથી ખાવું જોઈએ. ઘણી વખત આપણે એવું લાગે છે કે આપણે ભૂખ્યા છીએ, પણ આપણે ડિહાઇડ્રેશનનો શિકાર હોય ત્યારે પણ તેવુ અનુભવાય છે. શરીર પ્રમાણે, જ્યારે આપણને ખરેખર ભૂખ લાગે ત્યારે જ કંઈક ભોજન લેવું જોઇયે.
આ પણ જુઓ: વજન ઘટાડવા માટેની અગત્યની ટિપ્સ
યોગ્ય માત્રામાં જ ખાઓ
આપણે બધા અલગ છીએ, બધાની અલગ જરૂરિયાતો છે અને પેટનું માપ પણ અલગ છે.તેથી તમારા શરીરની ક્ષમતા મુજબ ખોરાક લેવો જોઈએ.
શાંત અને આરામદાયક સ્થળએ જમો
જ્યારે તમે ખાવા બેસો ત્યારે આરામથી બેસો અને બને તેટલું શાંત રહીને ખોરાક લો એટલે કે જમતી વખતે ફોન, ટીવી,અને લેપટોપનો જેવી વસ્તુનો ઉપયોગ ન કરો.
આ પણ જુઓ: જયપુર થી દિલ્હી જવા માટે લાગશે માત્ર 3 કલાક
દરરોજ એક જ ટાઈમે જમો
પ્રકૃતિને નિયમિતતા ખૂબ ગમે છે તેથી તમારે તેનું પાલન કરવું જોઈએ.અને દરરોજ એક જ ટાઈમે જમવું જોઈએ.
ખરાબ પેટ માટે અગત્યની 9 જેટલી આયુર્વેદીક ઉપચાર.
ગરમ ખોરાક જમવાનું રાખો
ગરમ રાંધેલો ખોરાક જ લો. તથા ફ્રિજમાંથી સીધો બહાર કાઢેલૂ જમવાનું ઓછું રાખો. ફ્રીજમાં રાખેલી વસ્તુઓ જમવાથી પાચન શક્તિ નબળી પડે છે.
ખોરાક લેતી વખતે જમવા પર ધ્યાન આપો
તમારી બધી 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરો. તમારા ખોરાકની ગંધ, તમારી પ્લેટની રચના, તમારા ભોજ્નની રચના, અલગ અલગ સ્વાદ અને જ્યારે તમે ખાઓ છો ત્યારે તમે જે અવાજ કરો છો તે પણ સાંભળો.
ગુણવત્તાયુક્ત જમવાનું ખાઓ
તમારો જમવાનું રસદાર અને ઓછો તેલયુક્ત રાખો કારણ કે આનાથી પાચન પ્રક્રિયા સરળતા રહેશે. આ પોષક તત્વોના શોષણમાં સુધારો કરશે. ખૂબ સુકો ખોરાક ખાવાનું પણ ટાળો.
ઝડપથી જમશો નહીં
તમારા ખોરાકને જલ્દીથી લઈ લેશો નહીં, હંમેશા ખાવાને ચાવવા માટે પણ સમય કાઢો. ચાવવું એ પાચનનું ખૂબ જ જરુરી છે.
વિચિત્ર ખોરાક એકસાથે લેવો જોઈએ નહીં
આમ કરવાથી પેટની તકલીફ થઈ શકે છે. કેટલાક અસંગત ખોરાક ફળો અને દૂધ, માછલી અને દૂધ વગેરે છે.
ખરાબ પેટ માટે અગત્યની 9 જેટલી આયુર્વેદીક ઉપચાર.
Disclaimer:-
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી માટે ઉપલબ્ધ કરાવી છે. અહીં લખવામાં આવેલ લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ પર આધારિત છે. તમામ નિયમોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી જરૂરી છે. https://juniorclerk.com/ આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
અગત્યની લીંક
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

કેટલો ખોરાક ખાવો જોઈએ?
ક્ષમતા મુજબ
1 thought on “Ayurvedic Important Tips:ખરાબ પેટ માટે અગત્યની 9 જેટલી આયુર્વેદીક ઉપચાર.”