Solar Rooftop Yojana 2023: સોલાર રૂફટોપ યોજના 2023: ઉનાળા મા ખૂબ જ ગરમી અને તડકા પડતા હોવાથી એ.સી,પંખા વધુ ચાલુ રહેતા હોવાથી વીજવપરાશ વધી જાય છે. પરંતુ સામે લોકોને ઉનાળામા લાઇટ બીલ પણ વધુ આવે છે. લાઇટ બીલની ઝંંઝટ માથી મુક્તિ અપાવે તેવી સરકારની એક યોજના સરસ યોજના સોલાર રૂફટોપ યોજના 2023 ની માહિતી આજે આપણે આ પોસ્ટમા મેળવીશુ. આ યોજના મા હવે તમારા ઘરની છત પર જ વિજળી ઉત્પન્ન થશે અને લાઇટબીલ આવશે ઝીરો. ચાલો જાણીએ Solar Rooftop subsidy 2023 યોજના વિશે.
Solar Rooftop Yojana 2023
યોજના | સોલાર રૂફટોપ યોજના 2023 Solar Rooftop Yojana 2023 |
અમલીકરણ | Ministry of New & Renewable Energy (MNRE) Government of India |
લાભાર્થી | ભારતના નાગરિકો |
સબસીડી દર | 20% થી લઈ ને 40% સુધી સબસીડી |
સોલાર પેનલનુ આયુષ્ય | 20 થી 25 વર્ષ |
ઓફીસીયલ વેબસાઇટ | solarrooftop.gov.in |
સોલાર રૂફટોપ યોજના સબસીડી
ગુજરાત સરકારે વર્ષ 2009 માં ગુજરાત સૌર ઉર્જા નીતિ ડીકલેર કરી હતી સૌર ઉર્જા નીતિના ભાગરૂપે સરકાર દ્વારા જે લોકો પોતાની છત ઉપર સૌર પેનલ સિસ્ટમ લગાવવા ઇચ્છતા હોય તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે. સોલાર રૂફ ટોપ યોજના 2012 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લોકોએ પોતાના ઘર પર છત મા સોલાર પેનલ લગાવવાની હોય છે. આ સોલાર પેનલ લગાવવાનો જે ખર્ચ થાય તેમા સરકાર તરફથી સોલાર રૂફટોપ યોજના સબસીડી નિયત કરેલી સબસીડી આપવામા આવે છે.
ભારત સરકાર દ્વારા માટે આપવામાં આવતી સોલાર રૂફ ટોપ યોજનાની સબસીડી નીચે મુજબ મળવાપાત્ર છે.
ક્રમ | કેપેસીટી | કુલ કીમત પર સબસીડી |
૧ | ૩kv સુધી | ૪૦ % ના દરે |
૨ | ૩Kv થી ૧૦ kv સુધી | ૨૦ % ના દરે |
૩ | ૧૦Kv થી વધુ | સબસીડી ન મળે |
સોલાર રૂફટોપ યોજના ના ફાયદા
સોલાર ની આ યોજનાથી નીચે મુજબના ફાયદા થાય છે.
- ફ્રી વીજળી : સોલર પેનલ લગાવવાનો ખર્ચ અંદાજે 5 વર્ષ માં જ વસૂલ થઈ જાય છે, ત્યારબાદ ઉત્પન્ન થયેલ વધારાની વીજળી બાકીના 20 વર્ષ સુધી મફત યુઝ કરવા મળશે , આમ રોકાણની દ્રષ્ટિએ પણ આ યોજના ખૂબ જ ફાયદાકારક છે.
- વધારાના યુનીટ વીજ કંપની ખરીદશે : જો વર્ષના અંતે તમારા વપરાશ કરતાં વધારે યુનીટ ઉત્પન્ન થયા હોય તો તે ગ્રીડમાં જશે, જે વીજનિયમન પંચ દ્વારા નક્કી કરવામા આવેલ યુનિટના ભાવ મુજબ 25 વર્ષ સુધી વીજ કંપની દ્વારા ખરીદવામાં આવશે અને નિયત રકમની ગ્રાહકને ચૂકવણી પણ કરવામાં આવે છે.
- આવક વધારો: તમારા વપરાશ સિવાયના ઉત્પન્ન થયેલા યુનિટરૂ. .2.25/Unit લેખે વીજ કંપની ખરીદી લેશે દરેક નાણાકીય વર્ષ ના અંતે બિલ માં જમા થતી વધારાની રકમ ગ્રાહકના બેન્ક ખાતામાં જમા કરવામા આવે છે.
- ફ્રી મેઈન્ટેનન્સ : સોલર રૂફ ટોપ પેનલ લગાવ્યા બાદ જે એજન્સી પાસેથી ખરીદી કરી હોય તે ૫ વર્ષ સુધી આ સિસ્ટમનું વિનામુલ્યે મેન્ટેનન્સ કરી આપે છે.
કેટલી જગ્યા જરૂરી ?
તમે જો સોલર પેનલ લગાવવા માંગતા હોય તો તે માટે છત પર વધારે મોટા પ્રમાણમાં કોઈ જગ્યાની જરૂર રહેતી નથી. આ પેનલને પોતાના ઘરની છત અથવા કારખાનાની છત પર પણ લગાવી શકાય છે. 1KW સૌર ઉર્જા માટે 10 વર્ગમીટર જગ્યાની જરૂર પડે છે. શરત એક જ કે આ જગ્યા પર સારો તડકો આવવો જોઇએ.
Solar Rooftop Yojana 2023 ઓનલાઇન અરજી
તમે પણ જો તમારા ઘરની છત પર સોલાર રૂફટોપ લગાવવા માગતા હોય તો નીચે આપેલી વેબસાઇટ પરથી ઓનલાઇન એપ્લાય કરી શકો છો.
- https://suryagujarat.guvnl.in/ આ લિંક પર ક્લિક કરીને ઓનલાઇન અરજી કરી શકાય છે.
- https://solarrooftop.gov.in/ (સોલાર રૂફટોફ યોજનાની જાણકારી માટે આ વેબસાઇટ છે)
ડોકયુમેન્ટ લીસ્ટ
સોલાર રૂફટોપ ની આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂર રહે છે.
- ડીલર, લાભાર્થી અને ડિસ્કોમ અધિકારી દ્વારા આપવામા આવેલ સોલર સિસ્ટમ કમિશનિંગ રિપોર્ટ
- સોલાર રૂફટોપ સિસ્ટમ સેટઅપ માટે ચૂકવણીનું બિલ/પ્રમાણપત્ર
- 10kw કરતાં વધુ સેટઅપ: Cei દ્વારા ચાર્જિંગ પરવાનગી માટેનો દાખલો
- 10kw કરતાં ઓછું સેટઅપ: ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અથવા કોન્ટ્રાક્ટરનો દાખલો
સોલાર રૂફટોપ યોજના 2023 હેલ્પલાઈન નંબર
- Email:info.suryagujarat@ahasolar.in
- ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333
સોલાર રૂફટોપ યોજના ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |

સોલાર રૂફટોપ યોજના માટે હેલ્પલાઇન નંબર કયો છે ?
સોલાર રૂફટોપ યોજના હેલ્પલાઇન નંબર 1800-180-3333 છે.
સોલાર રૂફટોપ યોજના મા કેટલી સબસીડી મળે છે ?
20 % થી 40 % સુધી
1 thought on “Solar Rooftop Yojana 2023: સબસીડી નો લાભ લઇ ઘરે નખાવો સોલાર, લાઇટબીલ આવશે ઝીરો”